જ્ઞાન ગંગા એકેડમી


Channel's geo and language: Iran, Persian
Category: not specified


🧠 જ્ઞાન ગંગા એકેડમી
🎯🎯 દરેક સ્પર્ધાત્મક પરીક્ષાની માહિતી તથા ઉપયોગી મટીરીયલ, Pdf's, કરંટ અફેર્સ માટે જોડવો અમારી ચેનલમા
● Join : @gyaanganga
@mehul_pandya

Related channels  |  Similar channels

Channel's geo and language
Iran, Persian
Category
not specified
Statistics
Posts filter




સુરત અને ખંભાત કયા ઉદ્યોગ માટે જાણીતું છે ?
Poll
  •   ખાંડ
  •   ખાતર
  •   જરી
  •   સિમેન્ટ
50 votes


નીચે સરોવર / તળાવ અને શહેરના નામ આપ્યા છે તેની યોગ્ય જોડ નો સાચો ક્રમ કયો હશે ? 1. શર્મિષ્ઠા તળાવ a. પાટણ 2. ખાન સરોવર b. સુરત 3. ચંદન c. વડોદરા 4. ગોપીતળાવ d. ડાકોર e. વડનગર
Poll
  •   1- c , 2-e , 3 - b , 4 - a
  •   1- e , 2 - a , 3 - c , 4 - b
  •   1- d , 2 - c , 3 - b , 4 - a
  •   1 - b , 2 - d , 3 - a , 4 - e
43 votes


અભ્યારણો અને રાષ્ટ્રીય ઉદ્યાનોના સંદર્ભમાં નીચેનામાંથી એક જોડકું સાચું નથી.
Poll
  •   સામુદ્રિક રાષ્ટ્રીય ઉદ્યાન , દેવભૂમિ દ્વારકા
  •   હિંગોળગઢ પ્રાકૃતિક શિક્ષણ અભયારણ્ય , રાજકોટ
  •   જાંબુઘોડા અભયારણ્ય , દાહોદ
  •   વેળાવદર કાળિયાર અભયારણ્ય , ભાવનગર
45 votes


ગુજરાતમાં બોકસાઈટ સૌથી મોટા પ્રમાણમાં ક્યાં મળી આવે છે ?
Poll
  •   કચ્છ અને જામનગર
  •   મહેસાણા અને પાલનપુર
  •   વડોદરા અને ખેડા
  •   પંચમહાલ
44 votes


ગુજરાતના જિલ્લા અને જિલ્લા મથકનું ખોટું જોડકું કયું ?
Poll
  •   અરવલ્લી - લુણાવાડા
  •   તાપી - વ્યારા
  •   દેવભૂમિ દ્વારકા - ખંભાળિયા
  •   ગીર સોમનાથ - વેરાવળ
44 votes


નીચેનામાંથી કયા વિધાનો સાચા છે ? 1. ગુજરાતનું ચાંપાનેર - પાવાગઢ આર્કિઓલોજીકલ પાર્ક એ ભારતની યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાંનું એક છે. 2. અડાલજની વાવ એક મુસ્લિમ મહંમદ બેગડાએ રાણી રૂપબા માટે બનાવેલ
Poll
  •   ફક્ત - 1
  •   ફક્ત - 2
  •   ફક્ત - 1 અને 2
  •   ઉપરોક્ત એક પણ નહીં
44 votes


જિલ્લા અને તાલુકા ની કઈ જોડ સાચી નથી ?
Poll
  •   વલસાડ - પારડી
  •   જામનગર - વિસાવદર
  •   ગીર સોમનાથ - કોડીનાર
  •   સુરેન્દ્રનગર - થાનગઢ
45 votes


એશિયાનો સૌથી મોટો સોલાર પાર્ક અને વિન્ડ ફાર્મ ગુજરાતના કયા જિલ્લામાં આવેલ છે ?
Poll
  •   કચ્છ , ભાવનગર
  •   કચ્છ , રાજકોટ
  •   પાટણ , જુનાગઢ
  •   પાટણ , કચ્છ
47 votes


ગુજરાતમાં ભરાતા મેળા અને જિલ્લાના સંદર્ભમાં કઈ જોડ ખોટી છે ?
Poll
  •   વૌઠાનો મેળો - અમદાવાદ
  •   ભવનાથનો મેળો - જુનાગઢ
  •   માધવરાયનો મેળો - પોરબંદર
  •   બધા સાચા
49 votes


પ્રાચીન સમયમાં ' દંડકારણ્ય ' તરીકે ઓળખાતો પ્રદેશ આજે કયા નામે ઓળખાય છે ?
Poll
  •   પાંચાળ
  •   કચ્છ
  •   ડાંગ
  •   વઢિયાર
50 votes


—------------------------
❝ સરોજિની નાયડુ...🦋❞
—------------------------

★✨ જન્મ:- 13 ફેબ્રુઆરી 1879

★✨ મત્યુ:- 2 March 1949

● સરોજિની નાયડુ અંગ્રેજી ભાષાના ભારતીય કવિયત્રી, સ્વાતંત્ર્યસેનાની અને પ્રથમ મહિલા રાજ્યપાલ હતા.

● સ્વરમીઠાશને કારણે લોકો તેમને 'હિંદની બુલબુલ' કહેતા હતા.

● ભારત સરકારે ૧૩ ફેબ્રુઆરી ૧૯૬૪ ના રોજ તેમની સ્મૃતિમાં ૧૫ પૈસાની ટપાલ ટિકિટ બહાર પડી હતી.

● સરોજિની નાયડુનો જન્મ ૧૩ ફેબ્રુઆરી ૧૮૭૯ના રોજ હૈદરાબાદના બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો.

● ૧૮૯૫માં તેઓ ઈંગ્લેન્ડ ગયા જ્યાં લંડનની કિંગ્ઝ કોલેજ અને કેમ્બ્રિજની ગિરટન કોલેજમાં વિદ્યાભ્યાસ કર્યો.
—------------------------
🅙🅞🅘🅝➺ @gyaanganga
—------------------------




જોડણી ભાષા સાથે જોડે છે...(૨)
-----------------------------
જોડણી અઘરી નથી.
પ્રત્યેક શબ્દનું સ્વરૂપ સમજીએ.
વ્યાકરણના નિયમો કદાચ ન સમજાય તો વાંધો નહીં.
પ્રત્યેક અક્ષર કે શબ્દ એક ચિત્ર સમાન છે...એ માનસપટ પર અંકિત કરીએ તો આપોઆપ શબ્દો સાચી રીતે લખાતા જશે.
આપણી ભાષા સાચી રીતે લખવી એમાં જ એનું ગૌરવ છે.
તો હવે રોજ કેવળ ૧૦ શબ્દોને મગજમાં ગોઠવતા જઈએ...
અને હા,
આ લખાણ બરાબર સાચવીને રાખજો. ભૂલી જવાય તો ગમે ત્યારે જોઈ શકાય.

આજના શબ્દો -
----------------
(૧૧) આરોગ્ય √
આરોગ્યતા ×
(૧૨) સગવડ √
સગવડતા ×
(૧૩) અગત્ય √
અગત્યતા ×
(૧૪) નૈસર્ગિક √
નિસર્ગિક ×
(૧૫) અંતર્ધાન √
અંતર્ધ્યાન ×
(૧૬) કલ્લોલ √
કિલ્લોલ ×
(૧૭) સીવણ √
શીવણ ×
(૧૮) મુલતવી √
મુલ્તવી ×
(૧૯) ખાતરી √
ખાત્રી ×
(૨૦) ગણતરી √
ગણત્રી ×

Join : @gyaanganga


જોડણી ભાષા સાથે જોડે છે...(૧)
-----------------------------
જોડણી અઘરી નથી.
પ્રત્યેક શબ્દનું સ્વરૂપ સમજીએ.
વ્યાકરણના નિયમો કદાચ ન સમજાય તો વાંધો નહીં.
પ્રત્યેક અક્ષર કે શબ્દ એક ચિત્ર સમાન છે...એ માનસપટ પર અંકિત કરીએ તો આપોઆપ શબ્દો સાચી રીતે લખાતા જશે.
આપણી ભાષા સાચી રીતે લખવી એમાં જ એનું ગૌરવ છે.
તો હવે રોજ કેવળ ૧૦ શબ્દોને મગજમાં ગોઠવતા જઈએ...
અને હા,
આ લખાણ બરાબર સાચવીને રાખજો. ભૂલી જવાય તો ગમે ત્યારે જોઈ શકાય.

આજના શબ્દો -
----------------
(૧) પુનરવલોકન √
પુનરાવલોકન ×
(૨) પુનરુદ્ધાર √
પુનરોદ્ધાર ×
(૩) પુનરુક્તિ √
પુનરોક્તિ ×
(૪) અધમાધમ √
અધમોધમ ×
(૫) ચિહ્ન √
ચિન્હ ×
(૬) દૃષ્ટિ √
દ્રષ્ટિ ×
(૭) ગૃહસ્થ √
ગ્રહસ્થ ×
(૮) આહ્લાદ √
આલ્હાદ ×
(૯) ધૈર્ય - ધીરતા √
ધૈર્યતા ×
(૧૦) સૌંદર્ય - સુંદરતા √
સૌંદર્યતા ×

Join : @gyaanganga


☘ભારતનું બંધારણ સવાલ-જવાબ (૧૨/૦૨/૨૦૨૩)🍀

🍁 પ્ર. 1 ) ભારતમાં સૌપ્રથમ રાષ્ટ્રીય કટોકટી ક્યારે લાદવામાં આવી હતી ?
જવાબ:- 26 ઓક્ટોબર , 1962 માં ભારત - ચીન યુદ્ધ દરમિયાન

🍁 પ્ર. 2 ) ભારતમાં બીજીવાર રાષ્ટ્રીય કટોકટી ક્યારે લાદવામાં આવી હતી ?
જવાબ:- 3 ડિસેમ્બર , 1971 ભારત પાકિસ્તાન યુદ્ધ દરમિયાન

🍁 પ્ર. 3 ) ભારતમાં ત્રીજી વખત રાષ્ટ્રીય કટોકટી ક્યારે લાદવામાં આવી હતી ?
જવાબ:- 25 જૂન 1975 , આંતરિક અશાંતિના કારણે

🍁 પ્ર. 4 ) ભારતમાં સૌપ્રથમ રાષ્ટ્રીય કટોકટી જાહેરાત કરનાર રાષ્ટ્રપતિ કોણ હતા ?
જવાબ:- ડૉ. એસ. રાધાકૃષ્ણન

🍁 પ્ર. 5 ) ભારતમાં કઈ કટોકટી લાંબો સમય ચાલી ?
જવાબ:- બીજી કટોકટી

🍁 પ્ર. 6 ) કયા કારણસર રાષ્ટ્રીય કટોકટી લાદી શકાય છે ?
જવાબ:- યુદ્ધ , આંતરિક અશાંતિ અને સશસ્ત્ર વિદ્રોહ

🍁 પ્ર. 7 ) રાષ્ટ્રીય કટોકટીની જાહેરાત રાષ્ટ્રપતિ શાને આધારે કરે છે ?
જવાબ:- મંત્રીમંડળની લેખિત ભલામણથી

🍁 પ્ર. 8 ) કટોકટીની જાહેરાત સાથે જ અનુચ્છેદ 19 હેઠળના મૌલિક અધિકારોનું આપોઆપ નિલંબનની જોગવાઈ બંધારણની કઈ કલમમાં છે ?
જવાબ:- 358

🍁 પ્ર. 9 ) કટોકટી દરમિયાન કયા અધિકારો નિલંબિત થઈ શકતા નથી ?
જવાબ:- અનુચ્છેદ 20 અને 21 હેઠળના મૌલિક અધિકારો

🍁 પ્ર. 10 ) કટોકટી દરમિયાન અનુચ્છેદ 20 અને 21 હેઠળના મૌલિક અધિકારો સિવાયના મૌલિક અધિકારોના નિલંબનની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે ?
જવાબ:- 359

👉Join : @gyaanganga


ગુજરાતી સાહિત્ય સવાલ-જવાબ (૧૨/૦૨/૨૦૨૩)

🎩 પ્ર. 1 ) ફરીદ મહમદ ગુલામનબી મન્સુરીનું ઉપનામ જણાવો.
જવાબ: - આદિલ

🎩 પ્ર. 2 ) બ્રહ્મ સત્ય, જગત મિથ્થા’ - આ કૈવલાદ્વૈતનાં સિદ્ધાંતનું પ્રતિપાદન કરનાર કવિ કોણ છે?
જવાબ: - જ્ઞાની કવિ અખો

🎩 પ્ર. 3 )ભકત કવયિત્રી ગંગાસતીનું વતન કયું હતું?
જવાબ:- સમઢિયાળા (જિ. ભાવનગર)

🎩 પ્ર. 4 ) ભકત કવયિત્રી મીરાંબાઈએ જીવનનો અંતિમ સમય ગુજરાતની કઇ પ્રાચીન નગરીમાં વિતાવ્યો હતો ?
જવાબ:- દ્વારિકા

🎩 પ્ર. 5 ) ભકત કવિ નરસિંહ મહેતાની કવિતા પર કઈ વિચારધારાનો પ્રભાવ છે?
જવાબ:- પ્રેમલક્ષણા ભકિત

🎩 પ્ર. 6 ) ભકત કવિયત્રી મીરાં કઈ સાલમાં ગુજરાતની દ્વારિકા નગરીમાં આવીને વસ્યાં હતાં?
જવાબ:- ઈ.સ.૧૫૩૭

🎩 પ્ર. 7 ) ભગવાન શિવે પ્રસન્ન થઈ નરસિંહ મહેતાને શેના દર્શન કરાવ્યા હતા?
જવાબ:- રાસલીલા

🎩 પ્ર. 8 ) ભગવાન શ્રીકૃષ્ણે ગુજરાતમાં આવીને કઇ નગરી વસાવી?
જવાબ:- દ્વારિકા

🎩 પ્ર. 9 ) ભગવાનનો ભાગ’ના સર્જક કોણ છે ?
જવાબ: રમેશ પારેખ

🎩 પ્ર. 10 ) ભટ્ટ વલ્લભ મેવાડાની પદરચનાઓ કયા નામે જાણીતી છે?
જવાબ:- શકિતની ભકિત

👉Join : @gyaanganga


🔥🔥 બાયોમ એટલે ? 🔥🔥

♦️ જૈવ આવરણનો જમીન પરનો ભાગ જેને વિશાળ ક્ષેત્રમાં Divide એટલે કે વિભાજન કરવામાં આવે તેને Biomes કહે છે.

♦️ તૈગા બાયોમ એ દુનિયાના કુલ ભૂમિભાગનો આશરે ૩૦ ટકા હિસ્સો ધરાવે છે

♦️ ટુંડ્રા બાયોમ એ દુનિયાનો સૌથી નવો બાયોમ છે જે અગત્યના કાર્બન શોષક છે

♦️ વિષુવવૃત્તિય વર્ષાવન એ સૌથી જુનો બાયોમ છે તેઓ સમગ્ર વર્ષમાં સૂર્યનો પ્રકાશ મેળવે છે. વધુમાં ભૌગોલિક સમય રેખાની વાત કરીએ તો આ બાયોમને ઉત્ક્રાંતિ માટે સૌથી વધુ સમય મળ્યો છે.

♦️ આ બાયોમમાં સૌથી વધુ જૈવ વિવિધતા પણ ધરાવે છે.


Join:- @gyaanganga🌷🌷🌷




જ્યારે ભારતને 1947 માં આઝાદી મળી ત્યારે ઇંગ્લેન્ડના પ્રધાનમંત્રી કોણ હતા ?
Poll
  •   સ્ટેનલી બોલ્ડવિન
  •   કિલમેન્ટ એટલી
  •   વિન્સ્ટન ચર્ચિલ
  •   એન્થની ઈડન
14 votes

20 last posts shown.